નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન
નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન
રાજીવ
લક્ષ્મણ કરંદીકરની રાષ્ટ્રીય આંકડાકીય આયોગના નવા અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી.
રાજીવ
લક્ષ્મણ ચેન્નાઈ મેથેમેટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર એમેરિટસ છે.
તેમણે
1998થી સંસદીય
ચૂંટણીઓ અને રાજ્ય વિધાનસભાઓ માટે રાષ્ટ્રવ્યાપી ઓપિનિયન પોલની રચના, દેખરેખ અને વિશ્લેષણ કર્યું છે.
તેઓ
ત્રણ વર્ષ માટે પાર્ટ ટાઇમ ચેરમેન રહેશે.
નેશનલ
સ્ટેટિસ્ટિકલ કમિશનના ચેરમેનને રાજ્યકક્ષાના પ્રધાન જેવો જ દરજ્જો છે.
નેશનલ
સ્ટેટિસ્ટિકલ કમિશન (એનએસસી):
તે
ડૉ. સી. રંગરાજન કમિશનની ભલામણથી સ્થાપવામાં આવેલી એક સ્વાયત્ત સંસ્થા છે.
તેની
રચના 12 જુલાઈ,
2006થી કરવામાં આવી હતી.
તેમાં
ચાર સભ્યો અને એક ચેરમેનનો સમાવેશ થાય છે, જે દરેક ચોક્કસ આંકડાકીય ક્ષેત્રોમાં
કુશળતા અને અનુભવ ધરાવે છે.
ભારતના
મુખ્ય આંકડાશાસ્ત્રી, જેઓ આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (એમઓએસપીઆઈ)ના સચિવ પણ છે,
તેઓ આ પંચના સચિવ છે.
આ
સંસ્થાની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં
લોકોનો વિશ્વાસ મજબૂત કરવાનો અને ડેટા એકત્રિત કરવાના સંબંધમાં ભારતમાં આંકડાકીય
એજન્સીઓને પડતી મુશ્કેલીઓને ઘટાડવાનો હતો.
0 Komentar
Post a Comment