SCO ના સભ્ય દેશોના પ્રમુખોની 21મી બેઠક
SCO ના સભ્ય દેશોના પ્રમુખોની 21મી બેઠક
ડૉ. જયશંકરે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા SCO ના સભ્ય દેશોના
પ્રમુખોની
21મી બેઠકમાં ભાગ લીધો
આ બેઠકમાં SCO સભ્ય દેશો, નિરીક્ષક રાજ્યો, SCO ના મહાસચિવ,
SCO પ્રાદેશિક આતંકવાદ વિરોધી ફ્રેમવર્કના કાર્યકારી નિર્દેશક અને તુર્કમેનિસ્તાન
ઉપસ્થિત રહ્યા હતા.
CHG બેઠકમાં વેપાર અને આર્થિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત
કરવામાં આવ્યું હતું.
ડૉ. જયશંકરે જળવાયુ પરિવર્તન સામેની લડાઈમાં ભારતની પ્રતિબદ્ધતા
તરફ ધ્યાન દોર્યું.
તમણે વડા પ્રધાન
નરેન્દ્ર મોદી દ્વારા વૈશ્વિક મિશન 'લાઇફ' (પર્યાવરણ માટે જીવનશૈલી) વિશે વાત
કરી.
જયશંકરે કહ્યું કે ભારત ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, જળવાયુ
પરિવર્તન, વેપાર અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં બહુપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે
પ્રતિબદ્ધ છે.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન:
તેની સ્થાપના 2001 માં શાંઘાઈમાં સમિટમાં કરવામાં
આવી હતી.
રશિયા, ચીન, કિર્ગીઝ રિપબ્લિક, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન,
ઉઝબેકિસ્તાન, ભારત અને પાકિસ્તાન તેના સભ્યો છે.
ઉઝબેકિસ્તાને 2022માં
SCO સમિટનું આયોજન કર્યું હતું.
SCOનું સચિવાલય બેઇજિંગમાં છે.
0 Komentar
Post a Comment