ઈન્ડિયા કેમ 2022 (INDIA CHEM 2022)
ઈન્ડિયા કેમ 2022 (INDIA CHEM 2022)
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા
2જી નવેમ્બર 2022ના રોજ પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે ઈન્ડિયા કેમ 2022નું
ઉદ્ઘાટન કરશે.
ઈન્ડિયા કેમ 2022નું આયોજન 02-03 નવેમ્બર 2022 દરમિયાન
પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે.
રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલય,
ભારત સરકાર FICCI સાથે સંયુક્ત રીતે તેનું આયોજન કરશે.
તેની થીમ "વિઝન 2030: કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ
બિલ્ડ ઈન્ડિયા" છે.
ઈન્ડિયા કેમ 2022 એ ઈન્ડિયા કેમની 12મી આવૃત્તિ છે,
જે દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને સંમેલન છે.
તે ખાસ કરીને પેટ્રોલિયમ, કેમિકલ અને પેટ્રોકેમિકલ ઈન્વેસ્ટમેન્ટ
સેક્ટર્સ (PCPIRs)માં રોકાણની તકોને પ્રકાશિત કરશે.
ઈન્ડિયા કેમ 2021નું ઉદ્ઘાટન સત્ર 17 માર્ચ 2021ના રોજ
તાજ પેલેસ, નવી દિલ્હી ખાતે યોજાયું હતું.
તેની થીમ " ઈન્ડિયા: ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ
ફોર કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ" હતી.
2021 પહેલા ઈન્ડિયા કેમ 2018 અને 2016માં યોજાઈ હતી.
ભારતીય કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ એ ભારતીય અર્થતંત્રની
કરોડરજ્જુ છે.
વર્ષ 2013-14ની સરખામણીમાં 2021-22માં ભારતીય રસાયણોની
નિકાસમાં 106 ટકાનો વધારો નોંધાયો છે.
0 Komentar
Post a Comment