Search This Blog

Gujarati Sahitya Sanstha

ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ

Exam-Oriented Gujarati Notes on Literary Institutions

Immy's Academy · Gujarati Literature

ગુજરાતી સાહિત્ય પરિષદ

ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ

ગુજરાતી સાહિત્ય પરિષદ –

  • સ્થાપના: ૧૯૦૫
  • 'પરબ' નામનું માસિક અને 'ભાષાવિમર્શ' નામનું ત્રિમાસિક પ્રકાશિત કરે છે.
  • આ પરિષદનું પ્રથમ અધિવેશન ગોવર્ધનરામ ત્રિપાઠીની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે ભરાયું હતું.

ગુજરાતી સાહિત્ય સભા –

  • સ્થાપના ૧૯૦૪ માં રણજિતરામ વાવાભાઇ મહેતાએ અમદાવાદમાં કરી હતી.
  • આ સંસ્થા ૧૯૨૮ના રજત જયંતી વર્ષ થી 'રણજિતરામ સુવર્ણચંદ્રક' આપે છે. પ્રથમ ઝવેરચંદ મેઘાણીને અપાયો હતો

ગુજરાત વર્નાક્યુલર સોસાયટી

ગુજરાત વર્નાક્યુલર સોસાયટી -

  • ૨૬ ડિસે. ૧૮૪૮માં એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા અમદાવાદમાં સ્થાપવામાં આવી હતી.
  • સૌથી જૂની સંસ્થા પાછળથી આ સંસ્થા 'ગુજરાત વિદ્યાસભા' તરીકે ઓળખાઇ.
  • આ સંસ્થા સૌપ્રથમ 'વરતમાન' અઠવાડિક પ્રસિદ્ધ કર્યું.
  • ત્યારબાદ પખવાડિક 'બુદ્ધિપ્રકાશ' શરૂ કર્યું અને આજે બુદ્ધિપ્રકાશ' માસિક પ્રકાશિત કરે છે.
  • ઇ.સ. ૧૮૪৯ માં “નેટિવ લાઇબ્રેરી” ની સ્થાપના કરવામાં આવી આજે તે હિમાભાઇ ઇન્‍સ્ટિટ્યુટ તરીકે પ્રખ્યાત છે.

નર્મદ સાહિત્ય સભા

નર્મદ સાહિત્ય સભા –

  • આ સંસ્થા ૧૯૨૩માં "ગુજરાતી સાહિત્ય મંડળ" નામે સુરતમાં સ્થપાઇ હતી.
  • શરૂઆતમાં આ સંસ્થા 'ગુજરાતી સાહિત્ય મંડળ' તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ ૧૯૩૯માં તેનું નામ કવિ નર્મદનું નામ સંકળાતા 'નર્મદ સાહિત્ય સભા' કરવામાં આવ્યું.
  • આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને દર પાંચ વર્ષે "નર્મદ ચંદ્રક" એનાયત કરવામાં આવે છે.

પ્રેમાનંદ સાહિત્ય સભા

પ્રેમાનંદ સાહિત્ય સભા –

  • "વડોદરા સાહિત્ય સભા" ની સ્થાપના ૧૯૧૬માં વડોદરા કરવામાં આવી હતી.
  • આ સંસ્થાએ ૧૯૪૪ માં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' નામ ધારણ કર્યું.
  • આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને ૧૯૮૪થી દર બે વર્ષે "પ્રેમાનંદ ચંદ્રક" એનાયત કરવામાં આવે છે.

ભારતીય વિદ્યાભવન

ભારતીય વિદ્યાભવન –

  • સ્થાપના કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મુંબઇમાં કરી હતી.
  • સામયિક: અંગ્રેજીમાં ‘ભવન્‍સ જર્નલ’ તથા ગુજરાતીમાં ‘નવનીત-સમર્પણ’ (પહેલા સમર્પણ – હાલમાં બંધ)

સાહિત્ય સંસદ –

  • સ્થાપન કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મુંબઇમા કરી હતી

ફાર્બસ ગુજરાતી સભા

ફાર્બસ ગુજરાતી સભા –

  • સ્થાપના મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી ૧૮૫૪માં કવિ ફાર્બસની સ્મૃતિમાં કરવામાં આવી હતી.
  • આ સંસ્થા ૧૮૫૧માં શરૂ કરેલી ‘બુદ્ધિવર્ધક સભા” નો ગ્રંથસંગ્રહ સંભાળવાનું તથા ગ્રંથ પ્રકાશનનું કાર્ય કરે છે.
  • આ સંસ્થા ૧૯૩૨ થી પોતાનું મુખપત્ર 'ફાર્બસ ગુજરાતી સભા' ત્રિમાસિક આજે પણ પ્રકાશિત કરે છે

ગુજરાત સાહિત્ય અકાદમી

ગુજરાત સાહિત્ય અકાદમી –

  • ગુજરાતી તથા સંસ્કૃત ભાષા અને સાહિત્યના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વાર સ્થાપિત
  • સ્થાપના ૧૯૮૨મા થઇ હતી.
  • આ સંસ્થા વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલી કૃતિઓનું મૂલ્યાંકન કરી સારી કૃતિને (લેખકને) 'ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર' આપે છે.
  • આ સંસ્થા ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે.
  • આ સંસ્થાનું મુખપત્ર 'શબ્દસૃષ્ટિ' નિયમિત રીતે પ્રકાશિત થાય છે.

બુદ્ધિવર્ધક સભા

બુદ્ધિવર્ધક સભા –

  • સ્થાપના ૧૮૫૧ માં નર્મદ અને તેના મિત્રોએ કરી હતી

ગુજરાત સંશોધન મંડળ

ગુજરાત સંશોધન મંડળ -

  • સ્થાપના પોપટલાલ શાહે મુંબઇમાં કરી હતી

કવિતાભવન

કવિતાભવન –

  • આ સંસ્થા ૧૯૮૧ થી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત દ્વારા કાર્યરત છે.

જ્ઞાન પ્રસારક સભા

જ્ઞાન પ્રસારક સભા –

  • આ સંસ્થા ઍલ્ફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પૅટન તથા દાદાભાઇ નવરોજી અને અન્ય યુવાનો દ્વારા સ્થાપવામાં આવે હતી

ક.લા.સ્વાધ્યાય મંદિર

ક.લા.સ્વાધ્યાય મંદિર –

  • આ સંસ્થાની સ્થાપના શેઠ કસ્તુરભાઇ લાલભાઇની સ્મૃતિમાં ઇ.સ. ૧૯૮૧માં સ્થાપવામાં આવી હતી

પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડ

પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડ:

  • સ્થાપના ૧૯૨૪ માં વડોદરામાં સ્વ. મોતીભાઇ અમીને આ સહકારી સંસ્થાની સ્થાપના કરી હતી.
  • સંસ્થા દ્વારા ૧૯૭૩-૭૪ માં આર્થિક રીતે પછાત ગામોમાં નવાં પુસ્તકાલયો ઊભાં કરવામાં સહાય કરવા “મોતીભાઇ અમીન શતાબ્દી ટ્રસ્ટ” ની રચના કરવામાં આવેલી.
  • સામયિક: પુસ્તકાલય

Quick Revision – ઝટપટ પુનરાવર્તન

1. સૌથી જૂની સંસ્થા
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી – ૨૬ ડિસે. ૧૮૪૮, એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ, આગળ ચાલીને “ગુજરાત વિદ્યાસભા”.
2. રણજિતરામ સુવર્ણચંદ્રક
ગુજરાતી સાહિત્ય સભા (સ્થાપના ૧૯૦૪, રણજિતરામ મહેતા) – ૧૯૨૮થી રણજિતરામ સુવર્ણચંદ્રક; પ્રથમ ઝવેરચંદ મેઘાણી.
3. મહત્વના ચંદ્રકો
નર્મદ સાહિત્ય સભા – “નર્મદ ચંદ્રક” દર ૫ વર્ષે; પ્રેમાનંદ સાહિત્ય સભા – “પ્રેમાનંદ ચંદ્રક” દર ૨ વર્ષે.
4. સરકાર સંચાલિત
ગુજરાત સાહિત્ય અકાદમી (સ્થાપના ૧૯૮૨) – ગુજરાતી અને સંસ્કૃત માટે; મુખપત્ર “શબ્દસૃષ્ટિ”.
5. મ્યૂનશી અને તેમની સંસ્થાઓ
ક.મ. મ્યૂનશી – “ભારતીય વિદ્યાભવન” અને “સાહિત્ય સંસદ”, મુંબઇમાં સ્થાપના.

MCQ Practice – Gujarati Literature Institutions

1. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કયા વર્ષે થઈ?
  • (A) ૧૯૦૪
  • (B) ૧૯૦૫
  • (C) ૧૯૨૩
  • (D) ૧૮૪૮
✔ Answer: (B) ૧૯૦૫
2. ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ આપતી સંસ્થા કઈ?
  • (A) ગુજરાતી સાહિત્ય પરિષદ
  • (B) ગુજરાતી સાહિત્ય સભા
  • (C) નર્મદ સાહિત્ય સભા
  • (D) પ્રેમાનંદ સાહિત્ય સભા
✔ Answer: (B) ગુજરાતી સાહિત્ય સભા
3. “બુદ્ધિપ્રકાશ” કઈ સંસ્થાનું પ્રકાશન છે?
  • (A) ગુજરાતી સાહિત્ય પરિષદ
  • (B) ગુજરાતી સાહિત્ય સભા
  • (C) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી / ગુજરાત વિદ્યાસભા
  • (D) ફાર્બસ ગુજરાતી સભા
✔ Answer: (C) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી / ગુજરાત વિદ્યાસભા
4. “નવનીત-સમર્પણ” સામયિક કઈ સંસ્થા જોડાયેલ છે?
  • (A) ભારતીય વિદ્યાભવન
  • (B) નર્મદ સાહિત્ય સભા
  • (C) ગુજરાત સાહિત્ય અકાદમી
  • (D) કવિતાભવન
✔ Answer: (A) ભારતીય વિદ્યાભવન
5. “શબ્દસૃષ્ટિ” મુખપત્ર કઈ સંસ્થા પ્રકાશિત કરે છે?
  • (A) ગુજરાતી સાહિત્ય પરિષદ
  • (B) ગુજરાત સાહિત્ય અકાદમી
  • (C) ફાર્બસ ગુજરાતી સભા
  • (D) કવિતાભવન
✔ Answer: (B) ગુજરાત સાહિત્ય અકાદમી
© Immy's Academy – Gujarati Literature Institutions · White & Gold Theme · Quick Revision + MCQ

1 Komentar

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel